Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગંગાસતી ની વાણી...૩૩
🌸🌸🌸🌸🌸🌸🌸

અચળ વચન કોઈ દી ચળે નહિ પાનબાઈ !
તે તો અહોનીશ ગાળે ભલે વનમાં
સદગુરુ સાનમાં પરીપૂરણ સમજ્યા,તેને અહમભાવ આવે નહિ મનમાં
અચળ...

ભાઈ રે !
શરીર પડે પણ વચન ચુકે નહિ,ગુરુજી ના વેચ્યા તે તો વેચાય
બ્રહ્માદિક આવીને મરને લિયે પરીક્ષા,પણ બીજો બોધ ન ઠેરાય
વચન...

ભાઈ રે !
મરજીવા થઈને કાયમ રમવું પાનબાઈ ! વચન પાળવું સાંગોપાંગ
ત્રિવિધિના તાપમાં જગત બળે છે,તેનો નહિ લાગે તમને ડાઘ
વચન...

ભાઈ રે !
જીવનમુક્તિની દશા પ્રગટશે,હાણ ને લાભ જોને મટી જાય
આશા ને તૃષ્ણા એકે નહિ ઉરમાં,પરમ ભક્ત તે કહેવાય
અચળ....

ભાઈ રે !
દ્રઢતા રાખો તો એવી રીતે રાખજો,જેથી રીઝે નકલંક રાય
ગંગાસતી એમ બોલિયાં,તેને નહિ માયા કેરી છાંય

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111659589
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now