લખમો ની વાણી
👁️👁️👁️👁️👁️
જેને દિઠે મારા નેણલાં ઠરે,
બાયુ ! અમને એડા એડા સંત મળે...ટેક
ઉદર માંથી એક બુંદ પડે ને, ભગત નામ ધરે,
નરક છોડાવીને ન્યારા રે’વે, અમર
લોકને વરે...બાયુ
ચાલતા નર ધરતી ન દુભવે, પાપ થકી બહુ ડરે;
શબ્દ વિવેફીને ચાલે સુલક્ષણા, પૂછીપૂછી પાવ ધરે...બાયુ
ત્રિગુણ પૂતળી રમે સૂનમાં, અણઘટ ઘાટ જ ઘડે;
ગુરૂજીના શબ્દો એવા છે, ખોજે તેને ખબરૂ પડે...બાયુ
કાયાવાડીનો એક ભમરો, સંધ્યાએ ઓથ ધરે;
આ સંસારમાં સંત સુહાગી, બેઠા બેઠા ભજન કરે...બાયુ
વર્ષા ઋતુનો એક હિમ પોપટો, નીર ભેળાં નીર ભળે;
લખમાના સ્વામીની સંગે રમતાં, સ્વાતિનાં બિંદુ ઠરે...બાયુ
💐💐🔥🔥💐💐
સંત ચરણોમાં વંદન
🙏🙏👣👣🙏🙏