પરમ આદરણીય સ્નેહીશ્રી હસુભાઇની વિદાય એટલે માત્ર ગુજરાત માટે જ નહીં પણ વિશ્વભરના ભારતીય લોકવિદ્યા, ધર્મશાસ્ત્રો,ભારતીય અર્વાચીન- મધ્યકાલીન સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિ ક્ષેત્રે સંશોધન અધ્યયન કરનારા સૌ માટે કદી ન પૂરી શકાય એવી ખોટ....
એક એવા વત્સલ- પ્રેમાળ-બહુશ્રુત વિદ્વાન આપણે ગુમાવ્યા છે કે જેમની ગેરહાજરી કાયમ માટે આપણને પીડા આપ્યા કરશે.
એમનાં નિસ્વાર્થ સ્નેહ, અપેક્ષાવિહિન સૌને મદદગાર થવાની પ્રકૃતિ, નિર્ભેળ પ્રમાણભૂત - આંખ વીંચીને પણ વિશ્વાસ કરી શકીએ એવી - સંશોધનસામગ્રી આપવાની સત્યનિષ્ઠા અને નાનામાં નાની વ્યક્તિ પાસેથી કોઇ જાણકારી મળી હોય તો પણ એનો રુણસ્વીકાર કરવાની વૃત્તિને કારણે તેઓ સૌના આદરણીય બની રહ્યા.
હસુબહેનની વિદાય પછી તેઓ એ કારમો આઘાત પચાવીને પણ ફરી ટટ્ટાર થઇને સાહિત્યસેવા કરતા રહ્યા.
પરિવારજનોને આ વજ્રાઘાત સહન કરવાની શક્તિ પરમાત્મા આપે એવી અંત:કરણની પ્રાર્થના સાથે મારી ગાયો સામે ચાર ભજન - સંતવાણીના ગાન સહિત શ્રદ્ધાંજલિ ......૧૦/૧૨/૨૦૨૦
*નિરંજન રાજ્યગુરુ*