એસેન્શિયલ કોમોડિટી (અમેડમેન્ટ) ઓર્ડિનન્સથી આ વાતનો ડર
જરૂરી વસ્તુની સૂચિમાં વસ્તુકે ઉત્પાદનનું નામ આવ્યા બાદ કાળાબજારી કે જમાખોરીથી તે વસ્તુની સુરક્ષા પણ થઈ જાય છે. જમાખોરીના કારણે આ વસ્તુઓની આપૂર્તિ પ્રભાવિત થાય છે જેનાથી જનજીવન પ્રભાવિત થશે. આવામાં જો દાળ, બટાકા, ડુંગળી, અનાજ, ખાદ્ય તેલ, જરૂરી વસ્તુઓની યાદીઓમાંથી બહાર થઈ ગયા તો તેમના જમાખોરીની આશંકા વધી જશે. આલોચકો અને વિશ્લેષકોનું કહેવું છે કે ફૂડ સિક્યુરિટી સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે.
આ બિલ અંગે સરકારના તર્ક વિતર્ક
1. ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ બિલ 2020 Farmers’ Produce Trade and Commerce (Promotion and Facilitation) Bill, 2020
હવે ત્રણેય બિલને વિસ્તારથી જાણીએ અને સરકારનો તર્ક અને વિરોધનું કારણ સમજીએ. આ બિલ હેઠળ સરકારની યોજના છે કે પાક ઉત્પાદનને લઈને એવું એક તંત્ર વિક્સિત થાય જ્યાં ખેડૂતો ઈચ્છે તે જગ્યાએ પોતાનો પાક વેચી શકે. જેના દ્વારા ખેડૂતો પોતાના પાકનો સોદો ફક્ત પોતાના રાજ્યમાં જ નહીં પરંતુ બીજા રાજ્યના લાઈસન્સ વેપારીઓ સાથે પણ કરી શકે છે.
સરકારનો દાવો
સરકારનો દાવો છે કે આ નીતિ દ્વારા જે વિસ્તારોમાં ખેડૂતોની પાસે વધારાનો પાક છે તે રાજ્યોમાં તેમને સારા કિંમત મળશે. આ જ રીતે જે રાજ્યોમાં ઉણપ છે ત્યાં પણ તેમને ઓછા ભાવે વસ્તુઓ મળશે.
કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પણ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે એટલે કે જે સવાલને લઈને સંસદથી રસ્તાઓ સુધી વિરોધ જોવા મળી રહ્યો છે તેના માટે જવાબદાર મંત્રાલયના મંત્રી તેનો જવાબ લઈને હાજર છે.
અત્યારના નિયમથી આ મુશ્કેલી
કૃષિ મંત્રાલયના જણાવ્યાં મુજબ હાલની વ્યવસ્થાથી ખેડૂતોની પાસે પોતાનો પાક વેચવા માટે વધુ વિકલ્પો નથી. ખેડૂતો રજિસ્ટર્ડ લાઈસન્સધારક કે રાજ્ય સરકારને જ પોતાનો પાક વેચી શકે છે. બીજા રાજ્યમાં કે ઈ ટ્રેડિંગ દ્વારા પાક વેચી શકે નહીં. વેચવાની તકો ઓછી થવાથી લાભની તકો પણ સીધી રીતે ઓછી થઈ જાય છે.
વિરોધીઓને ચિંતા MSP ખતમ થઈ જશે
વિરોધીઓને ડર છે કે આ વ્યવસ્થા લાગુ થવાથી મંડી વ્યવસ્થા ખતમ થઈ જશે. આ વ્યવસ્થા ખતમ થઈ તો રાજ્યોને મંડી ટેક્સ નહીં મળે. બજારો ખતમ થઈ ગયા તો ખેડૂતોને એમએસપી એટલે કે ટેકાનો ભાવ નહીં મળે. બજારો ખતમ થવાથી માર્કેટ રેગ્યુલરેટ થશે નહીં. આ પ્રકારે ખેડૂતો અને રાજ્યોને જ સંપૂર્ણ નુકસાન થશે.
સરકારનો જવાબ
આ સવાલ પર પીએમ મોદી અને કૃષિમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે મંડી વ્યવસ્થા જળવાઈ રહેશે. તેના પર કોઈ અસર પડવા દેવાશે નહીં. આ સાથે જ ન્યૂનતમ સમર્થન મૂલ્યને પણ આ કાયદાથી કોઈ જોખમ નથી. સરકાર તેમા કોઈ ફેરફાર કરવાની નથી. પરંતુ આમ છતાં વિરોધ થઈ રહ્યો છે.
2. ધ ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસિઝ બિલ 2020 Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Bill, 2020
સરકારનું જે બીજુ બિલ છે તેમાં સરકારનો દાવો છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને નેશનલ ફ્રેમવર્ક મળશે. તેનાથી ખેતી સંબંધિત તમામ રિસ્ક ખેડૂતોના નહીં પરંતુ તેમને કરાર આપનારાઓના માથે રહેશે. બીજો મોટો લાભ એ રહેશે કે ખેડૂતોને પોતાના ઉત્પાદનોના માર્કેટિંગ પર ખર્ચ નહીં થાય અને દલાલ ખતમ થશે.
3/n