કૃષિ બિલ
કૃષિ સંબંધિત મામલો એક નહીં પરંતુ ત્રણ બિલનો છે. તેમની સમગ્ર માહિતી સમજવા માટે થોડા મહિના પાછળ જવું પડશે. જ્યારે દેશમાં લૉકડાઉન હતું ત્યારે આ ત્રણેય બિલોને વટહુકમ તરીકે બહાર પાડવામાં આવ્યાં હતાં. તેના દ્વારા ખેડૂતોની આવક વધારવા, પાક કે ઉત્પાદનોના જોખમને ખતમ કરવા અને પાકને યોગ્ય મૂલ્ય મળવાની દિશામાં યોગ્ય પગલું લેવાની તૈયારી હતી.
નવી દિલ્હી: દેશમાં ખેતીમાં સુધાર લાવવા માટે લોકસભાએ ગુરુવારે બે મહત્વના બિલને મંજૂરી આપી. વિપક્ષી દળોના વિરોધ વચ્ચે Farmers’ Produce Trade and Commerce (Promotion and Facilitation) Bill, 2020 અને Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Bill, 2020 બિલ લોકસભામાં પસાર થયા. જો કે આ દરમિયાન કેન્દ્ર સરકારની કેન્દ્રીય કેબિનેટમાથી મંત્રી હરસિમરત કૌર બાદલે રાજીનામું આપી દીધુ. તેઓ સરકારમાં ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મંત્રી હતાં. તેમના રાજીનામાથી હવે ક્યાંક આ બળવો આગળ વધીને NDA સાથે સંબંધ તોડવા પર ન આવી જાય. આ બિલને લઈને ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના ખેડૂતો રસ્તાઓ પર ઉતર્યા છે. ત્યારે એ જાણવું જરૂરી બને છે કે આખરે આ બિલમાં એવું તે શું છે અને શું તે ખરેખર ખેડૂતો માટે નુકસાનકારક છે?
વટહુકમ તરીકે બહાર પડ્યા હતા બિલ
હકીકતમાં કૃષિ સંબંધિત મામલો એક નહીં પરંતુ ત્રણ બિલનો છે. તેમની સમગ્ર માહિતી સમજવા માટે થોડા મહિના પાછળ જવું પડશે. જ્યારે દેશમાં લૉકડાઉન હતું ત્યારે આ ત્રણેય બિલોને વટહુકમ તરીકે બહાર પાડવામાં આવ્યાં હતાં. તેના દ્વારા ખેડૂતોની આવક વધારવા, પાક કે ઉત્પાદનોના જોખમને ખતમ કરવા અને પાકને યોગ્ય મૂલ્ય મળવાની દિશામાં યોગ્ય પગલું લેવાની તૈયારી હતી. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પણ વટહુકમ બહાર પાડતી વખતે આમ જ કહ્યું હતું.
એક નહીં, ત્રણ કૃષિ બિલ છે વિરોધનું કારણ
જે ત્રણ બિલો દ્વારા કૃષિ સુધારના દાવા કરવામાં આવી રહ્યાં છે તે છે ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ બિલ 2020 Farmers’ Produce Trade and Commerce (Promotion and Facilitation) Bill, 2020, ધ ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસિઝ બિલ 2020 Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Bill, 2020, અને ધ એસેન્શિયલ કોમોડિટિઝ (એમેડમેન્ટ) બિલ 2020 (Essential Commodities (Amendment) Bill, 2020.
વિરોધનું અસલ કારણ છે MSP
હવે તેને વિસ્તારથી સમજીએ. પહેલુ બિલ છે જરૂરી વસ્તુ (સંશોધન બિલ), બીજુ બિલ છે ખેડૂત ઉપજ ધંધો અને વ્યવસાય (સંવર્ધન અને સરલીકરણ) બિલ અને ત્રીજુ બિલ છે ખેડૂત (સશસ્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર બિલ. અલગ અલગ સમસ્યા છે પરંતુ એક કોમન સમસ્યા છે જે આ બિલ સામે થયેલા વિરોધનો આધાર છે તે છે ટેકાનો ભાવ એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP).
હરસિમરત કોરે આ કારણે આપ્યું રાજીનામું
કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું અને કહ્યું કે કૃષિ ઉત્પાદનોના માર્કેટિંગના મુદ્દે ખેડૂતોની આશંકાઓ દૂર કર્યા વગર ભારત સરકારે બિલને આગળ વધારવાનો નિર્ણય લીધો છે. વિરોધનું એક કારણ આ પણ છે.
1/n