વાઘબારસ કે વાગ બારસના બન્ને શબ્દની અલગ અલગ વાત છે. વાગબારસ એટલે વાઘ નહી વાગ. વાગ એટલે વાણી. આખુ વર્ષ સત્ય, પ્રીય અને હિતકારી વાણી બોલાવી. આપણા કારણે મોટા કે નાના, સ્વજનો, આપ્તજનો અને પરિવારજનોના મન દુભાય નહી તેનુ ધ્યાન રાખવુ. વેદના કેટલાક ભાગને પણ વાક તરીકે ઓળખવામાં આવે છે. વાક એટલે વાચા કે ભાષાની દેવી છે સરસ્વતિ અને એટલે જ સરસ્વતિને વાગ્દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. સરસ્વતિદેવી આપણી વાચા, ભાષાને સારી રાખે અને બુધ્ધિ ભ્રષ્ટ ન કરે આચાર-વિચાર સારા રાખે તે માટે થઇને સરસ્વતિની પૂજા કરવી જોઇએ. વાકનું અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાખ્યુ અને વાઘના સંદર્ભમાં આખો તહેવાર વાઘ બારસ તરીકે ઓળખાવા લાગ્યો. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા સરસ્વતિની પૂજા થવી જ જોઇએ. જેથી આપણા પુર્વજોએ ધનતેરસના આગલા દિવસે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા વાક બારસના દિવસે મા સરસ્વતી પુજા કરે છે.
હવે. “વાઘ બારસ “કોઇ ધાર્મિક કથા નથી પણ વિદ્વાનો કહે છે મા અંબાની સવારી વાઘ ઉપર છે તેથી ”વાઘ”નું મહત્વ છે અને તહેવાર સાથે જોડયો છે. પર્યાવરણની સમતુલા માટે આપણી સરકારે વાઘના શિકાર ઉપર પ્રતિબંધ મૂકી વાઘની રક્ષા કરી છે જેમ ”નાગપંચમી” નાગને મહત્વ આપી તહેવાર મનાયો છે તે પ્રમાણે વાઘ બારશે વાઘને બારશ સાથે જોડવામાં આવે છે. 🙏🏻