નામ જો મારુ નામ જ ના રહે,
તો , મારા હોવાનો શું મતલબ ?
૨૫ કે ૩૦ વંષઁ જે નામ સાથે જીવ્યા
તે નામ બદલીને નવા નામ સાથે જીવવાનો શો
મતલબ, તે પણ સમાજ ને ખાતર અથવા જન્માક્ષર
ને ખાતર અથવા તો સાસરા મા એજ નામનું કોઈ હેાય તો તમારું નામ બદલી નાંખવાનું આ તો કેવો
ન્યાય. જન્મ થતા ની આનંદ ની અનુભૂતિ સા થે
મા બાપે પ્યાર થી પાડેલું નામ આમ અચાનક
બદલી નાંખવાનું
આ બધુ બહુ વિચિત્ર લાગે છે.
જન્માક્ષર મેળવીને પણ લગનજીવન સફળ થતા નથી. તો નામ બદલાવી ને લગનજીવન સફળ થાય
તેવું જરૂરી નથી. પરસ્પર ની સમજદારી થી જ લગનજીવન ટકે છે સફળ થાય છે.
એટલે
લગ્ન પછી આવી નામ બદલાવાની પ્રથા કાઢવી જોઈએ.