દાસી જીવણ સાહેબની વાણી..
.................................................
આજો ગગનથી લહેરુ આવે,
ઝર ઝર નેણા અમર ઝરે રે,
ઝીણા ઝીણા મોતીડા વરસે,
ધ્યાન અખંડ જો ધરે રે. અજો
ચહુ દીશ ફોર વાસના વ્યાપી,
બીજ રૂપિયો નહી બળે,
લાગી લંુબ ગગનમા મોરી,
તે આંબલીયો સુફળ ફળે રે. અજો
મરજીવા નર ચડે મેદાને,
વીણી મોતી સોઈ વળે રે,
પારસમણિના એજ પારખા,
નિપજ આવે ખુબ ખળે રે. અજો
ઓહં સોહંમકી ઝળહળ જયોતિ,
ચાંદો સુરજ માય દીપ ઝરે,
પુરવી ગંગા પશ્િમ પ્રકાશી,
ગગન ગુફામે ગવન કરે રે. અજો
ત્રિકુટી મહોલમે કરલે તકીયા,
સુખમન સાધે અરથ સરે રે,
દાસી જીવણ સત ભીમના ચરણા,
કીમત વાળા આદેશ કળે રે.અજો..
.................................................
જય ગુરુ મહારાજ સાહેબ બંદગી....