ગીતા બાબતના પ્રશ્નો નો માર્મિક ઉતર...
૧- આટલા બધી લાખો-કરોડો ની સેના કેવી રીતે માત્ર નાનકડા કુરૂક્ષેત્ર માં સમાણી હશે ?
જ : કહેવાય છે કે રાવણના દસ માથા હતા , મતલબ રાવણ કે રાવણમાં દશ મનુષ્ય ના દિમાગ જેટલી શક્તિ હતી આવી જ રીતે ભીમ માં પણ ૧૦૦૦ હાથી જેટલી શક્તિ હતી . આ લોકો યુદ્ધ માં ઉતરે તો વર્ણવાય કે ૧૦ મનુષ્ય કે ૧૦૦૦ હાથી યુદ્ધ કરે છે. આ જ રીતે કુરુક્ષેત્રમાં મા આવેલ દરેક સિપાહી ની શક્તિ ત્યાર ના સરેરાશ મનુષ્ય ની શક્તિ થી વધારે હતી માટે જ અક્ષોહિણી સેના નું કાઉન્ટીંગ થયું હતું.
૨ - આટલી લાંબી ગીતા ગવાણી ત્યાં સુધી બાકી બધા શું કરતા હતા.
જ : ફિલ્મ ' કોઈ મિલ ગયા' અથવા તો સ્વામી વિવેકાનંદ ને યાદ કરીયે તો તે વ્યક્તિ માત્ર થોડી ક્ષણો માં જ આખું પુસ્તક વાંચી જતો, જેને ફોટો-સિન્થેટિક મેમરી કહેવાય છે. ગીતા એ મુખ દ્વારા નહોતી કહેવાય પણ એ મન થી મન વચ્ચેનો વાર્તાલાપ હતો , આથી જ ગીતા તે દરમિયાન અર્જુન સિવાય કોઈ સાંભળી શક્યું નહોતું.