કહેવાય છે કે આપણાં શબ્દો જ આપણું વ્યક્તિત્વ રજુ કરે છે. આપણાં શબ્દો આપણાં સંસ્કારોની ગવાહી પૂરે છે. માટે કોઈની પણ સાથે વાતચીત કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.
બીજું કે વાતચીત કરતી વખતે સામેવાળી વ્યક્તિને સાંભળવાની પણ તૈયારી રાખવી. એક સારો શ્રોતા જ સારો વક્તા બની શકે છે.
આપણી વાત અન્ય વ્યક્તિઓ સાંભળે અને અમલમાં મુકી શકે તેવી હોવી જોઈએ. પરંતુ આ ત્યારે જ શકય બને જ્યારે આપણી વાતના મુદ્દાઓ અસરકારક હોય.
આપણું જ્ઞાન અને સંસ્કારો તેમજ વ્યક્તિત્વ દર્શાવવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ એટલે આપણો અન્ય લોકો સાથેનો સંવાદ.
#સુપ્રભાત