મહાત્માના દેશમાં રહેનાર,
હતા જે સ્વચ્છતા પ્રેમી,
હવે ત્યાંના જ લોકોની માનસિકતામાં ફેલાઈ રહી છે ગંદકી,
મહાત્માના દેશમાં રહેનાર,
શીખવ્યા જેમણે હરહંમેશ ભાઈચારાના પાઠ,
ત્યાંના રહેવાસી હવે ન જાણે ક્યાંથી શીખ્યા છે વિખવાદ કરતા,
મહાત્માએ આપ્યા અહિંસાના પાઠ,
ત્યાંની પ્રજા હવે બનતી જાય છે હિંસક,
આઝાદી અપાવી આપણને જેમણે,
તેમણે આઝાદી બાદ પણ ગુલામીનું સપનું ન સેવ્યું હતું,
હવે ત્યાં જ લોકો પૈસા,દોલતના ગુલામ બનતા જાય છે,
જેમણે સપનું જોયું હતું ગરીબી દૂર થવાનું,
ત્યાં છે હજુ પણ ગરીબી એટલી જ,
હવે મહાત્માના શબ્દો ન બોલીને પણ કરીએ તેમના આદર્શોનું અમલીકરણ!
#મહાત્મા