Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યોતિષ...

-રુગવેદ માં આશરે ૯૫૦૦૦ વર્ષ પહેલાં ના નક્ષત્રો ની ગણના કરાઈ છે .
-ભારત ના જ્યોતિષ શાસ્ત્ર ની અસર સૌથી પહેલાં સુમેરુ માં થઇ હતી અને એ જાણ્યું કે સુર્ય માં દર ૧૧ વર્ષે થતાં વિસ્ફોટ ની અસર પૃથ્વી પર થાય છે.
-બુદ્ધ-મહાવીર ના સમયમાં ગયેલ પાયથાગોરસે કહ્યું કે દરેક ગ્રહો ની પોતાનું એક સંગીત હોય છે.
-પૈરાસેલીશસે કહ્યું કે વ્યક્તિ ના જન્મ વખતે જે ટયુન ગ્રહો અને નક્ષત્રો ની હોય છે તે ટયુન વચ્ચે નું તાલમેલ બગડવાથી જ બિમારી થાય છે,તે હંમેશા વ્યક્તિ ની કુંડળી જોઈને જ તેમની દવા વગર સારવાર પણ કરી શકતો.
-૧૯૫૦ માં કોસ્મિક કેમેસ્ટ્રી નામની અવધારણા પ્રકાશમાં આવી જેના મુજબ આખું શરીર અને બ્રહ્માંડ એકબીજાથી કનેક્ટેડ છે.
-જાપાની ચિકિત્સક તોમાતો મુજબ જેમ સ્ત્રી ના ગર્ભ અને માસિક સમયે જે રીતે તેમનુ લોહી પાતળું થાય છે તે જ રીતે અનુસાર દર ૧૧ વર્ષ પછી પુરુષ નું લોહી પણ પાતળું થય જાય છે.
-ભારતમા જ્યોતિષ મુજબ દરેક બાળક ખુદ પોતાના ગ્રહો અને નક્ષત્રો ની સ્થિતિ પસંદ કરીને જ જન્મ લે છે.
-ચંદ્ર ની અસર આપણી માનસિકતા પર થાય છે જેનાં પરથી જ શબ્દ આવ્યો છે લ્યુનાટિક .
-ભવિષ્ય એટલે માત્ર અજ્ઞાનતા , ભુતકાળ માથી જ ભવિષ્ય જન્મે છે.
-મહાવીર ના 'જાતિ‌સ્મરણ' અનુસાર આપણા બધા જન્મો ની સ્મુતિ આપણી અંદર સચવાયેલી હોય છે.
.....................

-દર‌ ૯૦ વર્ષે સુર્ય 'ઘરડો' થાય છે અને પૃથ્વી પણ તેનાથી અસરગ્રસ્ત થાય છે... જેમ કે ભુકંપ,મહામારી વગેરે.
૧ થી ૪૫ વર્ષ યુવાની રહ્યા બાદ ફરી ૪૫ થી ૧ મુજબ તેનું ચક્ર છે મતલબ બાળક ના જન્મ પર આ ૪૫ વર્ષ ના અપ-ડાઉન ની અસર થાય છે.
-જયોતિષ ના ૩ ભાગ હોય છે
એક જે બદલી ન શકાય તેવું ...
બીજુ , જેનું જ્ઞાન હશે તો બદલી શકાશે(મૃત્યુ, જીવન)...
ત્રીજું , જે માત્ર સાંયોગિક(નોકરી, લગ્ન) છે.
- જ્યોતિષ માત્ર તમને પરિધિ થી કેન્દ્ર તરફ લઈ જવામાં મદદરૂપ થાય છે જેમકે ચોરી કરવી કે ન કરવી આપણી સ્વતંત્રતા છે પણ પસંદ કરેલો વિકલ્પ જ આપણી ભાવિ નક્કી કરશે કે આપણે 'એસેન્સિયલ' રુપી કેન્દ્ર માં જવું છે કે 'સેમિ-એસેન્સિયલ' રુપી પરિધિ માં રહેવું છે.
- તમને કહેવાય કે તમારો એક પગ ઉપાડો , ત્યારે તમે ડાબા જમણા પગની પસંદગી કરવા માટે ‌હંમેશા સ્વતંત્ર છો પણ જયારે તમારો એક પગ ઉપડી લીધો ત્યારબાદ તમે પુરા પરતંત્ર થય જાવ છો , પસંદગી તમારી છે.

Gujarati Thought by Jay Vora : 111582630
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now