હાલ જે લખાય છે, એવી
ગઝલ મેં લખી નથી.
કલમમાંથી સ્યાહી ખાલી થાય,
મેં એ કલમને ઘસી નથી.
મેં માણ્યો છે પ્રેમનો સફર,
હું એ પ્રેમ સફર થકી નથી.
ઊંડા વિચારો આવે મનમાં,
હું એ વિચારોથી હઠી નથી.
રસ્તામાં ઘણી ઠોકરો વાગી,
મેં એ ઠોકરો ને ગણી નથી.
શું મળતું હશે સૂર્યને આથમી ને?
સૂર્ય વિના રાત્રિ નો, દિવસ નથી.
નર્ક કોરી ખાય છે મન ને,
અજીયે જીવન સુખી નથી.
સ્વર્ગ ન મળવાની ધાકમાં,
ઘણાએ ર્મુત્યુ ભેટી નથી.
રાત્રિ ના આ અંધકારમાં,
અશ્રુઓ ની કમી નથી.
મને, આ મતલબી દુનિયા
ક્યારેય ગમી નથી.
-હિતાક્ષી✨