#વિધવા
'સુહાગણ'નો વિરોધી શબ્દ એટલે 'વિધવા '
દીકરી જ્યારે સાસરે વળાવીએ ને એ
સજોડે પિયરમાં આવે તો કંઈ માનું મન
ના હરખાય ! પણ એ જ દીકરીનો જયારે
ચુડલો જયારે નંદવાય ત્યારે માનું હૈયું
રુદન કરી ઉઠે એક દીકરી જેને બાળપણથી
યુવાની સુધી પોતાના પ્રેમરૂપી સંસ્કારો સીંચીને
વટવૃક્ષ બનાવી હોય ને એ ઘેઘૂર વડલાને વેદ્યવ્યરૂપી
દાવાનળ ભરખી જાય ને એનું સેંથામાં પુરેલ સિંદૂર ભૂંસાય
એવી સ્ત્રીનું જીવન મઝધારમાં
હાલકડોલક કરતી નૌકા જેવું બની જાય છે
એના જીવનમાં ભરયુવાનીમાં પાનખર ઋતુનું
આગમન એની તમામ ખુશીઓને ઉદાસીમાં
પલટી નાખે છે ,
ને એવી સ્ત્રીની મનોસ્થિતિ કોઈક જ સમજી શકે
છે.
ઠાકોર રણજીતસિંહ. કે ઉર્ફે " કેશવ "
(મો) ૯૮૯૮૬૮૮૪૫૭
ઈમેલ આઈડી : ranjitthakor3077@gmail.com