શું સમાજની માનસિકતા ઓછી થઈ
જે મારે છે ડંકા આ દેશ ના વિકાસનો આ સમાજ
પૂછું છું, શું છોડી દીધી અંધશ્રદ્ધા તો
દેશ ના વિકાસ સાથે સમાજ નો વિકાસ છે જોડે
કે ફરીથી આ સમાજ અંધશ્રદ્ધા માં તો નથી ગૂંચવાયો
શું દીકરી દુધપીતી પ્રથા બંધ થઈ
કંઈક અંશે પણ શું આજે પણ આ સમાજ
દીકરી ને બોજ નથી સમજતો
કોખ માં આવતા સાથે શું એક મા જોડે
દીકરા ની આશા નથી બાંધતો
શું #વિધવાને સતી પ્રથા બંધ થઈ
કંઈક અંશે પણ શું આજે પણ આ સમાજ
#વિધવા ને અપશુકન નથી સમજતો
એના પતિ ના મર્યા સાથે શું એ વિધવા જોડે
સમાજની બંદીશો ની વાતો નથી કરતો
શું કિન્નરો ની સજા બંધ થઈ
કંઈક અંશે પણ શું આજે પણ આ સમાજ
એને એના પૂર્વ જન્મ ના કર્મ નથી સમજતો
ઈશ્વર છે એને સજા આપવા વાળા તો શું એ કિન્નર જોડે
સમાજ નીચતા ભર્યું વર્તન નથી કરતો
એ સમાજ, અંધશ્રદ્ધા ક્યાં બંધ થઈ
કેટલાય લોકો હજુય પીડાય છે આ ત્રાસ થી તારા સમાજ
તું કોણ છું સારું નરસું સમજાવતો
મનુષ્ય તો એ પણ છે જેને તું સતાવતો અંધશ્રદ્ધા જોડે
કરતો વર્તન એવું પછી કેવી રીતે તું એની સામે આંખ મિલાવતો