જ્યોતીન્દ્ર દવેની હાજરજવાબી લાજવાબ , બીરબલને ભૂલી જવાય એવી. માછલી પાણીમાં તરતી હોય એટલી સરળતાથી નર્મ-મર્મના તણખા તેમની વાતચીતમાંથી અનાયાસે ઝર્યાં કરે.
તેમને કોઈએ પ્રશ્ન કર્યો : ‘જ્યોતીન્દ્રભાઈ, બાળસાહિત્યમાં તમારું કોઈ પ્રદાન ખરું ?’
‘હા.’ જ્યોતીન્દ્રે તત્કાળ માહિતી આપી.
‘મેં બાળકો આપ્યાં છે.’