શ્રાદ્ધ.. એટલે શ્રદ્ધા થી જીવતે જીવ માં - બાપ ની સેવા...
ભાદરવી સુદ પૂનમ થી ભાદરવા સુદ અમાસ એમ સોળ દિવસ ઉજવાય શ્રાદ્ધ
મૃત પિતૃઓને પ્રસન્ન અને સંતુષ્ટ કરવા શ્રદ્ધા થી કરાય શ્રાદ્ધ ના ક્રિયાકાંડ
પિતૃઓ પિતૃલોક માંથી પૃથ્વીલોક ઉપર સૂક્ષ્મ સ્વરૂપે આવી સ્વીકારે મનભાવન ભોજન ને જળ
સ્વીકારી ભોજન ને જળ પિતૃ ઓ દીર્ઘાયુ, સંતતિ, સુખ સંપત્તિ અને મોક્ષ ને કરે પ્રદાન છે એવા વિધિ ના વિધાન
જુના જમાનામાં હતી સંયુક્તકુટુંબ ભાવના
છતાં કરાતા મૃતપિતૃ માટે શ્રદ્ધા થી શ્રાદ્ધ
આજ નાં આધુનિક જમાના મા વધારો
થતો જાય છે વૃદ્ધાશ્રમનો અને લાગણી ના અભાવ નો
જન્મી એ ત્યારે પ્રથમ રુદન ઉપર માં - બાપ રાજી થઈ હસ્તા હોય છે
માં બાપ ની આંખ માં વૃદ્ધાવસ્થા મા આંસુ ના આવવા જોઈએ એજ છે જીવતા જીવ સાચો શ્રાદ્ધ
નાના હતા ત્યારે હતા આપણે લાચાર,
વૃદ્ધ ઉમર માં થાય નહીં એ મા - બાપ લાચાર તે છે સાચો શ્રાદ્ધ...
જીવતા જીવ માત પિતા ને રાખી એ શ્રદ્ધા થી પ્રસન્ન અને સંતુષ્ટ એજ છે આજના જમાનામાં સાચો શ્રાદ્ધ..
🙏🙏
હિરેન વોરા
તા 3/09/2020