પૃથા બહુ મોટી મુશ્કેલી માં હતી ! એને ક્યારેય નોહ્તું વિચાર્યું કે એને જગદીશ આવો દગો કરશે ! લગ્ન નો વાયદો કરી ને આમ અચાનક નાસી જશે ! પૃથા જગદીશ ને ખૂબ ચાહતી હતી અને કોઈ કાળે એના વગર રહી શકે એમ જ નોહતી ! અને જયારે એને ખબર પડી કે પોતે માં બનવાની છે ત્યારે તો એને આપઘાત કરવા સીવાય કોઈ વિકલ્પ ના દેખાયો ! એને રોજ રોજ આજ વિચારો આવતા પણ પોતાના માં બાપુ સામે જોઈ ને અટકી પડતી ! એની આ પરેશાની નિકુંજ થી છુપી ના રહી ! નિકુંજ એનો બાળપણ નો મિત્ર ! એ પૃથા ને ખૂબ ચાહતો ! એના ઘેર માગું પણ મોક્લાવેલું પણ પૃથા એ ના પડી હતી જગદીશ માટે જ તો !
નિકુંજે પૃથા ને ખુબ દબાણ કર્યું એટલે પૃથા એ સાચી વાત કહી દીધી ! એક વાર તો નિકુંજે નક્કી કરી લીધું કે એ બધા ની સામે આ વાત કરી ને પોતાને થયેલા નકાર નો બદલો લઇ લે ! પણ પછી એને વિચાર્યું કે કેટલો વિશ્વસનીય લાગ્યો હશે પૃથા ને એ કે આટલી મોટી વાત કરી એને નિકુંજ ને ! બસ પછી તો શું ? ફરી એક વાર નિકુંજ નું માગું આવ્યું પૃથા માટે અને આ વખતે પૃથા એ ના , ન કહી ! આજે પૃથા અને નિકુંજ એક બાળકી ના માતા પિતા છે ! પૃથા પોતાને ખૂબ નસીબવાન માને છે એક વિશ્વસનીય સાથી મેળવવા બદલ!
#વિશ્વસનીય