ગતિ
આના માટે
સમયની, કુદરતની ગતિ સમજવી ખૂબ જરૂરી છે.
સુર્ય
સવારે - ઉગે, ધીરે-ધીરે તેનુ તેજ (કોમળ) વધે સાથે-સાથે આગળ વધે.
બપોરે - તીવ્ર (ઉગ્ર) તેજ આંખ આંજી દે, બાળે, દઝાડે
સાંજ પડતાં - અસ્ત થાય, તેજ ઘટે, શીતળતા આવે.
બપોરે જે માથે હતો તે બીજી સાઈડ નમે, ધીરે-ધીરે અસ્ત થાય.
સૂર્યમાં દિવસની આ ત્રણે અવસ્થામાં થતા ફેરફાર પણ કાયમી નથી હોતા.
સીઝન પ્રમાણે, વાતાવરણ પ્રમાણે એમા બદલાવ થતા આપણે જોઈએ છીએ.
બસ જીવનમાં
રોજ ઉગવું હોય (ખીલવું) હોય તો
યોગ્ય અને નિરંતર ગતી, સમય પ્રમાણે સ્વભાવની ગરમીમાં ફેરફાર જરૂરી છે.
જો આપણે આપણાં જીવનમાં આપણી
મરજી પ્રમાણે ગતી બદલતા રહીશું,
ખાલી ગરમી રાખીશું, તો લોકો આપણાથી દુર થઈ જયાં છાયડો મળશે ત્યાં જતા રહેશે
#ગતિ