... એમ કેમ થાય છે...
આલીશાન બંગલામાં નીંદ નથી આવતી
રોડ પર સૂતેલા ની નીંદ નથી ખુલતી
ત્રણ ટાઈમ ભોજનમાં શરીરને સ્ફૂર્તિ નથી મળતી
ના ખાવાનું મળે છતા અમે મોજમાં ફરતા જોયા છે
હદય માં બેઠો છે બધાનો માલિક સાહેબ
સમજાતું નથી કાંઈ એમ કેમ થાય છે....
શુદ્ધ પાણી પીનારાને કોઈ રોગ લાગી જાય છે
નદીના પાણી પીનારાને અમે કોઈ દી માંદા જોયા નથી
દર્દ હોય દિલમાં છતાં અમે હસતા જોયા છે
કોઈનું દુઃખ જોઈને અમે અમીર ને રોતા જોયા છે
. એમ કેમ થાય છે....
જીવતા નો વિશ્વાસ ક્યાં રાખે છે કોઈ આયા
સતા પથ્થર પર શ્રદ્ધા પુરી રાખે છે
કોઈ ભૂખથી પ્રાણ છોડી દે છે દુનિયામાં
સતા બત્રીસ ભાતના ભોજન ધરાઈ છે
એમ કેમ થાય છે...
visu mevada