એક સુંદર મજાનું ગામ હતું . ગામ માં સો જેટલા પરિવાર રહે .બધા સપીને રહે.પરોઢયું થાય ને ચહલ પહલ ચાલુ થઈ જાય સ્ત્રી ઓ મંદિરે જાય ને પુરુષો ખેતર જાય. કોઈ ચણ નાખવા ચબૂતરે જય તો કોઈ ગાય ને ઘાસ નાખવા વાડે જાય. એમાં એક ચંપ્પા બા રહે ચંપ્પા બા ને રોજ મંદિર જવાનો નિમ .એતો મંદિર જાય સેવા પૂજા કરે ગરીબ ને દાન દક્ષિણા આપે . જીવ ના તો બવ જ સારા .પણ એમના માં એક જ નબળાઈ એ બવ રૂઢિચુસ્ત એ અંશ્રદ્ધા માં બવ માને.
હવે તો શ્રાવણ મહિનો આવ્યો એટલે એતો મંદિર જાય ને સેવા પૂજા કરે એમ જ એક દિવસ મંદિર જતા તા ને બિલાડી તો આડી ઉતરી .હવે તો અપશુકન થયા . એતો બિલાડી ને કોષતા કોષતા મંદિરે ગયા બિલાડી ને તો ના બોલવાનું બોલ્યા., જ્યારે એ પાછા ફર્યા ત્યારે શું જોવે છે??.
બિલાડી તો મરી ગઈ હોય છે. હવે ચંપ્પા બા તો વિચરતા થઈ ગયા કે અપશુકન મને નડ્યા ક આ બિલાડી ને???????