#મૂર્ખ
=================================
માનવ ને ભગવાને શરીર આપ્યું તેમાં ઈન્દ્રિયો મન , બુધ્ધિ ચિત્ત અને અહંકાર આપ્યો. કર્મ કરવાની સ્વતંત્રતા આપી
અને સંવેદનશીલ હ્દય કુંજ માં પોતે જીવાત્મા સાથે
પ્રકાશ પુંજ સ્વરૂપ માં પ્રતિષ્ઠિત થયા.
છતાંય માનવ આ શરીર ઈન્દ્રિયો મન બુધ્ધિ નો ઉપયોગ કરવાની સમજણ હોવા છતાં , યથાયોગ્ય ઉપયોગ નથી
કરતો. એને ઉપભોગ નું સાધન સમજી ને દુન્યવી જંજાળ
માં વ્યવહાર કરે છે. આમ એ સત્ય થી વિમુખ થઈ જાય છે . દુનિયા દારી ને , શરીરને ,સંપતિ ને, સંબંધો ને શાશ્વત સમજી તેમાંથી સુખ શાંતિ સમૃદ્ધિ મળે તેવા પ્રયાસો કર્યા કરે છે ,અને અંતે શું મળે છે? એ બધાને ખબર છે.
વ્યવહારમાં સામાજિક આર્થિક રાજનૈતિક કે વૈશ્વિક પરિબળો સાથે મન બુધ્ધિ પુર્વક નો તાલમેલ સાધીને જીવનના લક્ષ્યને પામવું એ બુદ્ધિમત્તા છે. આને એનાથી
વિપરીત એ મુર્ખતા છે. આ દુનિયા દારી નું સત્ય થયું.
પરંતુ હું હું કરી દેહાભિમાન માં શરીર ને પોતે જ માની ને
આસક્તિ પુર્ણ વ્યવહાર કરવો ફક્ત ભોક્તા ભાવ થી,
આને પોતાને જ કર્તા માનવો એ આધ્યાત્મિક દ્રષ્ટિએ
મુર્ખતા છે. કારણ કે તમે ચૈતન્યમય આત્મા આ બધા થી
અલિપ્ત છો.
દેશ કાળ નીતિ ધર્મ અને પરિસ્થિતિ થી વિપરીત કર્મો કરે
તેને સુજ્ઞ જનો મુર્ખતા કહે છે. બુધ્ધિમતા આને મુર્ખતા
એ મનના વિચારો અને બુદ્ધિ ના નિશ્ચય પુર્વક ના પોતાના
આચરણ પરથી વ્યવહાર માં સિધ્ધ થાય છે. કોઈ વ્યક્તિ કાયમ મુર્ખ કે વિદ્વાન નથી હોતો. આ બધી માયિક પદાર્થ ના જગતમાં ભાસતી વાતો છે. આત્મા ને એ બાબતો સ્પર્શતી નથી. આત્મા નો સ્વભાવ નિત્ય પુર્ણ શાશ્વત આને
આનંદ સ્વરૂપ છે.
===={}==={}===={}===={}===={}=====