" હારની નિશાની...!! "
અફસોસ એ તો હારની નિશાની છે. અફસોસ શેને માટે..??
😊ધાર્યું હતું તેનાં કરતાં ઈશ્વરે ઘણું બધું આપ્યું છે આપણને...!! શું નથી આપણી પાસે....?? બધું જ છે
😊કર્મોના હિસાબથી આપણે ભાગે જે સુખ હતું તે આપણને બધું જ મળ્યું છે. તો પછી તેને અફસોસની સાથે સાથે વહાવી દેવાને બદલે, જીવનની હરેક ક્ષણને આનંદથી જીવી લેવામાં જ જીવનની ખરી મજા છે.
😊માણસના ચહેરા ઉપર એવું સ્મિત છવાયેલું રહેવું જોઈએ કે જે તેની સામે જુએ તે વિચારતો થઈ જાય કે આને વળી કયું સુખ છે તો આ આટલો બધો આનંદમાં ફર્યા કરે છે...
😊પણ તેને ક્યાં ખબર છે કે સુખની ચાવી આપણી પાસે આવી ગઈ છે...!!
અને તે ગમે તે પરિસ્થિતિમાં હસતાં રહેવું તે છે.....😊
- જસ્મીન