એક બાળક જ્યારે નાનું હોય છે ને ત્યારે એને ખબર નથી હોતી કે શું એને માટે સારુ છે અને શું ખરાબ. એ તો બસ એને ગમ્યું એટલે માંગવાની જીદ કરશે જ. હવે વારો માતા પિતાનો છે કે કેવી રીતે એને સમજાવવું. જો એની દરેક માંગણી પુરી પાડવામાં આવશે તો ભવિષ્યમાં ના સાંભળવા માટે એ તૈયાર નહીં જ થાય. શકય છે કે એ બળવાખોર બનીને માતા પિતાની વિરૂદ્ધ જઈને પણ પોતાની જીદ પુરી કરે. પણ જો એને પ્રેમથી સમજાવીને વાળી લેવામાં આવે તો એ સમજી જશે.
સમજદારીથી કામ લેવામાં જ ડહાપણ છે. પણ જો એક જ વ્યક્તિએ હંમેશા સમજદાર બનવું પડે ને તો ક્યારેક એ કંટાળીને બળવાખોર બની જશે. જો એક જ વ્યક્તિ બધી વખતે જતું કરશે ને તો કંટાળીને એ પણ બળવો પોકારશે. માટે મળી સમજીને કામ કરવું વધુ સારો વિકલ્પ છે.
બધા બળવાખોર ખરાબ નથી હોતા, ક્યારેક પરિસ્થિતિ એમને મજબૂર કરતી હોય છે અને જ્યારે આ સ્થિતી હોય છે ત્યારે એ વ્યક્તિને પાછો વાળવો લગભગ અશક્ય બની જાય છે. મજબૂરીમાં ખરાબ બનેલો માણસ ક્યારેય પાછો વળી શકતો નથી અમૂક અપવાદ સિવાય. માટે ક્યારેય કોઈને એટલા બધા પણ હેરાન ન કરવા કે એ બળવાખોર બની જાય.
#બળવાખોર