અત્યારે ખરી જરૂર આપણી જાતને શિસ્ત અને સંયમમાં રાખવાની છે. વિશ્વયુદ્ધ પછી ના ગાળામાં ઉદ્યોગો પોતાનો નફો ઉત્પાદન વધારવા અને રોજગારી ઊભી કરવા માટે વાપરે એ શરતે જર્મનીમાં કામગારસંઘોએ સ્વેચ્છાએ પગાર સ્થગિત કરવાનું પગલું અપનાવેલું. સ્વેચ્છાએ આપનાવાયેલા આ રોજી સ્થગિત કરતા પગલાનું પરિણામ વધુને વધુ મૂડીરોકાણમાં આવ્યું, જેને કારણે વધારે ને વધારે રોજગારી ઊભી થતી ગઈ. અર્થતંત્રને ફરીથી બેઠું કરવાના આ સમયમાં માથાદીઠ ખરું વેતન સ્થિર રહ્યું, પણ વધુ રોજગારી સર્જાવાને કારણે કુટુંબ દીઠ ખરું વેતન વઘ્યું જે દેશમાં બધાં જ જૂથો સુમેળે કામ કરતાં હોય ત્યાં પરિણામો વિસ્મય પમાડે એટલાં સારા અને મહેનતની સરખામણીમાં ઘણા વધારે આવે છે.
એન. એ. પાલખીવાળા ના પ્રવચનમાથી