જીવન માં ક્યારેય પણ એવા વ્યક્તિઓ સાથે વાર્તાલાપ ના કરવો જોઈએ,કે એ વ્યક્તિઓ તમને ગમતી હોય કે એ વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરવું તમને અતિપ્રિય પણ જો તમને લાગતું હોય,પણ
જીવન માં એવાં વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરવું જોઈએ કે જે વ્યક્તિઓ ને તમારા માં, તમારી સાથે વાર્તાલાપ કરવામાં કે તમારી વાર્તાલાપ સાંભળવા માં રસ રુચિ કેળવતો હોય,અને હર હંમેશા આપની વાર્તાલાપ સાંભળવા ની જિજ્ઞાસાવૃત્તિ થકી આતુરતાપૂર્વક રાહ જોતા હોય, એવાં જ વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરવો જોઈએ,કેમ કે એ વ્યક્તિઓ તમને જેટલું સમજશે એટલું કે એવું તમને દુનિયા માં બીજા કોઈ પણ વ્યક્તિઓ આટલી સરળતા સભર સમજી પણ નહિ શકે.અને જો તમારા જીવન માં આવા કોઈ પણ વ્યક્તિઅો હોય તો તેને ખૂબ ખૂબ માન સન્માન જરૂર આપજો તેમજ માન સન્માન પુર્વક એવાં વ્યક્તિઓ ને રાખજો ને અને ભગવાન નો પણ પળે પળ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરજો કે આપ ને જીવન માં આવા અમૂલ્ય કોહિનૂર ના હીરા સમાન વ્યક્તિઓ મળ્યાં છે તે બદલ,કેમ કે દરેક વ્યક્તિ ના નસીબ માં આવા ઉમદા વ્યક્તિઓ હોતા તો નથી કે મળતાં પણ નથી.અને જીવન માં આવા વ્યક્તિઓ ને કે આવાં વ્યક્તિત્વ ધરાવતા લોકો ને ગુમાવા ની ભૂલ થી પણ ભૂલ ના કરતા નહિતર ખૂબ જ પછતાવું પડશે.કેમ કે ખોવાયેલા વ્યક્તિઓ તો કદાચ અમુક સમય બાદ મળી પણ જાય,પણ ગુમાવેલા વ્યક્તિઓ તો એક વાર જીવન માંથી ગયા પછી જીવન માં ક્યારેય પણ પાછા પણ ફરતા નથી.
આકાશ પાતાળ એક થાય ને તો પણ,
બાકી અપવાદ તો બધે જ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ