ટેન્શન નઈ લેવાનું એવુ કહેનાર થી પણ લેવાય જાયઃ છે
ટેન્શન નઈ લેવાનું એતો ખાલી કહેવા ખાતર કહેવાય છે
સમય અને સંજોગો એવા જીવનમાં આવી જાયઃ છે,
ના ઇચ્છતા હોઈએ છતાંય ટેન્શન લેવાય જાયઃ છે.
જવાબદારીઓ ના બોજ મા ને બોજ મા,
ક્યાંક અજાણતા ઈચ્છાઓ અધૂરી રહી જાયઃ છે.
ધાર્યું પરિણામ લેવાની લાલશા મા,
અણધાર્યુ થતાં ટેન્શન ઓટોમેટિક વધી જાયઃ છે.
જીવન મા લાગણીઓ ના તાંતણે કોઈક થી,
રીસાતા અને માનવતા ધીરજ ખૂટી જાયઃ છે.
ટેન્શન નઈ લેવાનું એવુ કહેનાર થી પણ લેવાય જાયઃ છે,
ટેન્શન નઈલેવાનું એતો ખાલી કહેવા ખાતર કહેવાય છે
જીવનમાં દુઃખી તો ઘણાય ને જોયા પણ જ્યારે દુઃખ,
આપના પર આવે ત્યારે બધું સમજાય જાયઃ છે.
ક્યાંક સબંધો પર રાખેલ આશા, અપેક્ષા,
અણધાર્યુ દુઃખ મફત માં આપી જાયઃ છે.
ટેન્શન નઈ લેવાનું એવુ કહેનાર થી પણ લેવાય જાયઃ છે.
ટેન્શન નઈલેવાનું એતો ખાલી કહેવા ખાતર કહેવાય છે.
-jigna.r.rabari.