મનહર છંદ
યતિ - ૮/૧૬/૨૪
નાજુક હોય તાંતણો, વાતમાં ઓછું આવશે,
જવાબો ખુદ શોધતી , રાતભર જાગીને.
વહે અનુભૂતિઓમાં , વાયદો તું આવવાનો,
કરમાતી લાગણીઓ , ધાયલ હું થઈને.
તૂટીને જે ભાંગી જતાં , દર્દ ઘૂંટ જો પીવાથી,
વાગી ઉઠ્યા સાત સૂર , સાથે ઘાવ લઈને.
મુજથી જુદો ખુદને , કોમળતા નીતરતી,
રુહ સુધ્ધાં ભીંજવીને , ઇદાબત કરીને.
કોઈ ખૂણે રહી ગયાં , પણ એક ઘેલછામાં,
મિથ્યા જગ સમેટીને , 'શ્રીકૃપા' પ્રકાશીને.
દિપ્તી પટેલ'શ્રીકૃપા'
વડોદરા.