કોરોનો મહામારી એ કુદરતે આપેલો સબક છે.
માણસની ભાગદોડ,સતતને સતત વધતો અસંતોષ
પ્રકૃતિને નુકશાન કરતો માનવી, અહમમાં ગરજતો માણસ
પાપને ભૂલીને ઈશ્વરની અવગણના કરતો
ઇન્સાન..
સત્ય-ઈમાન,પ્રેમને ફેંકીને સતત સ્વાર્થમાં રાચતો મનુષ્ય....
પશુ પંખીઓને કેદ કરીને જંગલોનો વિનાશ કરતો માણસ, ધરતી પર ત્રાસ ફેલાવનાર આદમી...
અતિઆધુનિકતાના વટમાં વળ ખાતો માનવી....ને હજીય પાછો ના વળતો ઇન્સાન! કેટલું સહન કરે કુદરત..?
સમય છે, કુદરતને રાજી કરવાનો હજી પણ થોડું પાછું વળીને જોવાનો અને ફરી કુદરતના સાનિધ્યમાં જઈને એનામાં ભળી જવાનો..
જો સાચી શાંતિ અને અમનમાં જીવવું હશે તો..સમજવું જ પડશે.
સબક છે કુદરતનો, કહેર કરશે તો ક્યાયના નહિ રહીએ...
હાલ તો ઘરમાં રહીએ...અને સુરક્ષિત રહીએ.. કોરોનાને ખો દઈએ!
-- મેહુલ