*રામાયણ*
✅🙏🏻✅🙏🏻✅
રામાયણ એટલે ભુતકાળમાં ભજવાઈ ગયેલ એક આખી કુંટુંબકથની...!
રામાયણ એટલે
રામ+અયન = રામની જીવન પથ પર પ્રગતી કે રામની મુસાફરી....!
રામાયણ હાલમાં ય દરેક કુંટુંબ સંસ્થામાં આબેહુબ ભજવાતી શાશ્વત સનાતન ગાથા...!
રામાયણ એટલે હાલમાં પણ ભારતીય લોકોની રોજીંદી જીવન શૈલી પર પ્રભાવ પાડતો એક ગ્રંથ...!
રામાયણ હજુ ય રોજબરોજની ઘટનાઓમાં એટલો જ કારગત છે,
એનો મુદ્રાલેખ મારી દ્રષ્ટિએ કાંઈક આવો છે....કે,
*Speed of the Boss is the Speed of People*...!
રામાયણ એ ધર્મગ્રંથ નથી એ તો રોજ જીવાતી સંસ્કૃતી છે.
રામાયણ આપણને શિખવાડે છે કે,
*મેરા હૈ, સો મેરા હૈ..!*
*મેરા હૈ સો જાવે નહી, ને*
*જાવે સો મેરા નહી...!*
રામાયણની વાતો હાલમાં ય પરિવારમાં રોજ એટલી જ ભજવાતી,
દરેક પાત્રની સરખામણી રામાયણના પાત્ર સાથે કરવામાં આવે છે...!જેમકે,
પતિપત્નિ એટલે
રામ સીતા,પુત્ર એટલે રામ,ભાઈને એટલે લક્ષ્મણ ને ભરત,મિત્ર એટલે સુગ્રિવ,સાવકી માતા એટલે કૈકેયી,પરમ ભક્ત એટલે હનુમાન...!
મંથરાઓ તો બધે જ કોઈને કોઈ સ્વરૂપે સહેલાઈથી મળવા પાત્ર છે.
બાકી કળીયુગમાં રાવણો તો ઠેર ઠેર છે.
એવા રાવણો કે જે,
*આપકી ઈચ્છાઓકી કરેંગે ચુરી ચુરી*,
*મુંહમેં રામ બગલ મેં છુરી*....!
રામાયણમાં રામ એક આદર્શ ખરા પણ સીતા એમની પાછળ ચાલતી વાસ્તવિકતા છે,
વાસ્તવિકતાને જ્યારે વનમાં જવુ પડે ત્યારે આદર્શ એનો સાથ છોડી દે છે, આ વાત કળીયુગમાં પણ સનાતન સત્ય જ છે...!
*જેના મનમાં શ્રી રામ છે એ વાત તો સાચી પણ જેના મનમાં સ્ત્રી રામ છે એના ભાગ્યમાં જ વૈંકુંઠ ધામ છે.*
હાલના સમયમાં *કોરોનાષુર* મહાકાળ બનીને આવ્યોછે,એવા સમયે પણ એ કલંકિત કાળનો સામનો કરવામાં મર્યાદા પુરષોત્તમના ભ્રાતા લક્ષ્મણે દોરેલી લક્ષ્મણરેખાનો પાઠ ધ્યાન રાખી,એનુ અનુસરણ કરીએ...! આ કોરોનાષુર નામના રાક્ષકને જાકારો આપવામાં
સૌ ભેગા થઈએ ને *મરા મરા જપવાને બદલે રામ રામ ના જાપ કરીએ*
*હરી અનંત હરી કથા અનંતા,કહત સુનત સબ વિધી સબસંતા*...!
*રામ સીયા રામ, સીયા રામ ,જય જય રામ....!*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*