એક પ્રશ્ન થઇ ગયો....
શું ભગવાન આપણને બનાવી ને ભૂલી ગયો?
પણ ભૂલ તો માણસ થી થાય.. તો શું?
ભગવાન પણ માણસ જ હતો?
પણ ભૂલ હતી શું?
આપણને બનાવવું એ કે બનાવીને ભૂલી જવું એ?
કદાચ આપણને ભગવાને બનાવ્યા એ તો આપણી ભૂલ નહીં હોય ને?
કે બનાવીને આપણને સાચવવાના એ જવાબદારી પણ ભગવાન ને સોંપવી?
તો જવાબદારી છોડીને બીજાને ગુનેગાર સાબિત કરવો એ માણસ સહજ આવડત હશે?
કે આપણા કર્મો માં ફળ પણ ભગવાન આપતા હસે એ છટકબારી હશે?
તો આપણને બનાવવાનું કર્મ કરનાર ભગવાન ને પણ કર્મફળ તો ભોગવવું જ પડેશે ને!!!!
અને એક દિવસ એમના બનાવેલા સંતાનો જ એમના અસ્તિત્વ પર પ્રશ્ન કરશે એ કર્મફળ તો નહીં હોય ને?
પ્રશ્ન તો ઘણા છે પણ શું પ્રશ્ન હોવો જ એક પ્રશ્ન નથી?
ક્યાં સુધી પ્રશ્ન પૂછીને જવાબદારીમાંથી છટકિશું?
કોઈ એ તો શરૂઆત કરવી પડશે ને પ્રશ્નો ના જવાબો શોધવાની....
અને શોધ હંમેશા ફળદાયી હોય એ પણ ક્યાં જરૂરી છે?
પણ હા રસ્તામાં ઘણા ફળો મળશે એ ચોક્કસ છે.....
તો જ્યારે આજ ના સમાજ માં દરેક ના મન માં પ્રશ્ન છે.... દરેક કર્મ, વિચાર, ભાવના પાછળ પ્રશ્ન છે તો.....
બસ હું કટિબદ્ધ છું કે જવાબ હું જ છું..
એ બધા જ પ્રશ્ન નો....
હવે તો બસ પ્રશ્ન માં અસ્તિત્વ સામે જ છે, સૌથી મોટો પ્રશ્ન.......?...
#પ્રશ્ન