#પક્ષ
નિર્ણયશક્તિ ને સકારાત્મક રૂપ આપવું તે દરેક દ્રષ્ટિકોણથી યોગ્ય હોય, સત્ય ના સમીપ હોય, દરેક ને પ્રેરણારૂપ બને, તેના દ્વારા આપણે કોઈ યોગ્ય દ્રષ્ટાંત કેળવી શકીએ. અવાસ્તવિક સ્વરૂપને વાસ્તવિક રૂપે પ્રગટ કરવું તે પણ પક્ષ છે.
પક્ષ એ હંમેશા નિષ્પક્ષ હોવો જોઈએ. તે સમયે સંજોગો પરિસ્થિતિ ને અનુકૂળ હોય તેમ પરિવર્તનશીલ હોવો જોઈએ.
જેમ કે મહાભારતના યુદ્ધમાં કૃષ્ણએ સારથી બનવું પડે કે કે રામાયણ માં ભગવાન શ્રીરામે ચૌદ વર્ષનો વનવાસ ની સજા ભોગવવી પડી.. બંને એક પક્ષમાં સારથીએ સત્યની સાથે ચાલે છે ,જ્યારે ભગવાન શ્રીરામએ તેમના પિતા દ્વારા આપવામાં આવેલ વચનપાલન નો પક્ષ લઈને ચાલે છે.
આમ પક્ષે એક વચનપાલન કટિબદ્ધતા નું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.