પાંજરે પૂરનાર આજ પાંજરે પુરાયો, કુદરતને નથી કોઈ પક્ષ.
આ કપરા સંજોગોમાં ભેગા થયા, શાસક પક્ષ હોય કે વિપક્ષ.
ધરમાં જેનો ટાંટીયા ટકે નહીં, આજ એજ માનવી થઈ ગયો વિવશ.
સમય નથી સમય નથી કહેનારા, આજ સમય કાઢવા ગોતે અવકાશ.
મરી નથી ભારતના માનવી ની માનવતા, ભોજન કરાવી પુરી કરે આશ.
ધન ધાન ભર્યા સાહુકારને ત્યાં , કોઈ આવે ગરીબ તો ન કરજો નિરાશ.
ભાઈ માત પિતા એક થયા એક આંગણે, વિત્યા ન જાણે કેટલા વરસ.
નર કહે મારું તો પક્ષ મુકી દિધું, પ્રભુ ભક્તિ ઉગારે ઉભો સામે રાક્ષસ.
હિંમત ના હારજો ના કોઈને બિવડાવજો, જીવનનું પીતા રહો મધુર રસ.
સમજદાર ઈશારો ગણો, રહો ઘરમાં ખુશ થઇ ને સારો સમય આવશે સમક્ષ.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા
#પક્ષ