#સાંભળો
આજના સમયમાં "શ્રવણ વિજ્ઞાન" સમજવું અત્યંત આવશ્યક છે. શ્રવણ કરવું એટલે કે સાંભળવું એ બોલવા કરતાં વધુ આવકાર્ય છે. બોલવા કરતા સાંભળવાની કળા શીખવા જેવી છે.
આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણું મૂલ્યાંકન સામેની વ્યક્તિ દ્વારા થતું હોય છે. અને જ્યારે સાંભળીએ છીએ ત્યારે સામેની વ્યક્તિને મૂલવી શકીએ છીએ. સાંભળવાથી મોટાભાગે ફાયદો જ થાય છે અને બોલવાથી મોટાભાગે નુકસાન થાય છે.
સાંભળી ને પછી સમજી ને બોલવાથી જીવનનો પંથ સરળ બને છે. એટલે જ જેનું શ્રવણ સમજણ અને ધીરજપૂર્વક નું હશે તે ગણેશની જેમ પ્રથમ પૂજ્ય બની શકે છે.