Gujarati Quote in Thought by Bharatkumar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ઓળખ વિશે..*

બીજાઓને આપણી ઓળખ આપીએ, એ મોટેભાગે બાપ/દાદા કે પૂર્વજ કમાઈની હોય છે. આપણે ફલાણા જ્ઞાતિના કે ઢીંકણા ધર્મના કહીને મળીએ, ત્યારે વિચાર સરખો ય આવે કે આ બંને એમ જ જૈવિક અકસ્માતથી મળેલી ઓળખ છે? એની પ્રાપ્તિમાં આપણું યોગદાન તો ઝીરો જ. હા, એ સિવાય વ્યાવસાયિક કે ચારિત્ર્યસહજ ઓળખ મેળવી હોય, તો એ આપણી કમાણી કહેવાય. બાકી તો ઉછીની ઓળખ પર ગર્વ અનુભવવો - એના જેવી મુર્ખતા બીજી ભાગ્યે જ હોઈ શકે.

સંબંધ બાંધવા માટે જ્ઞાતિ જેવું નકામું પરિબળ એકેય નહીં. જ્ઞાતિ જોઈને સંબંધ બંધાય, ત્યારે તમે માણસ છો, એ વાતનો પહેલો જ છેદ ઉડી જાય છે. માની લેવાનું કે તમે ઘેટું છો, તમારે ઘેટાઓ જોડે જ બોલવાનું/ફરવાનું.

બીજું ખાસ, એ કે જે વસ્તુ બાયોલોજીકલ અકસ્માતથી મળી હોય, એના માટે ગર્વ કે લઘુતાગ્રંથિ અનુભવવી - બન્ને ટાળવાલાયક બાબતો છે. કોઈક કમઅક્કલવાળાને જ આવો નોનસેન્સ વારસો ગમે. સમજું વ્યક્તિઓએ દૂરથી નમસ્કાર કરવા જોઈએ.

આપણે પહેલા અને છેલ્લે માણસો છીએ, માત્ર માણસો. જ્ઞાતિ/ધર્મની - આપણી ઓળખની અણી કોઈને વાગે, તો એટલું માણસપણું આપણામાં ખૂટયું સમજવાનું.

Gujarati Thought by Bharatkumar : 111353504
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now