આજે મહાશિવરાત્રી જીવનું શિવ સાથે મિલન ભગવાન ભોળાનાથને રીઝવવાનો અને તેમના આશીર્વાદ લેવા નો અનેરો અવસર આજે દેશભરના શિવાલયોમાં ભગવાન શિવની પૂજા-અર્ચના થશે તેમજ વિવિધ દ્રવ્યો દ્વારા ભગવાન શિવલિંગ ઉપર અભિષેક થશે માત્ર જળ ચઢાવવાથી પ્રસન્ન થઈ જતા એવા પૃથ્વી પરના એક દેવ એટલે મહાદેવ આજના દિવસે શેરડીના રસ દ્વારા પાણી દ્વારા દૂધ દ્વારા શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવે તો તમામ કષ્ટો દૂર થાય છે અને ભગવાન ભોળાનાથ ની કૃપા પ્રાપ્ત થાય છે આજે આખો દિવસ મહામૃત્યુંજયનો જપ કરવો રુદ્રાક્ષની માળા વડે ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરવા અને શક્ય હોય તો ચાર પ્રહરની પૂજા અવશ્ય કરવી ભગવાન શિવ આપ સર્વ નું કલ્યાણ કરે આપની મનોકામના પૂર્ણ કરે એવી આજની મહાશિવરાત્રી નિમિત્તે મન મંચ ન્યૂઝપેપરના માધ્યમથી આપ સર્વેને શુભેચ્છા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ