લોકો સ્વર્ગની કલ્પના કરીને એમના કર્મ બદલે એવું આ જમાનામાં શક્ય છે?
એક વિચાર કરો, તમે સ્વર્ગમાં જાઓ તો ત્યાં શું મળે? સુંદર અપ્સરા તમારી આગળ નૃત્ય કરતી હોય અને તમને સોનાના ગ્લાસમાં સોમરસ પીવા આપે... હવે જરાક પ્રેક્તિકલ બનીને વિચારો તો આપણી માન્યતા મુજબ સ્વર્ગમાં જવાને એ જ હકદાર છે જે આજીવન સ્ત્રી અને મદિરાથી દૂર રહ્યો હોય. જેણે એનું મન ભક્તિમાં પરોવી રાખ્યું હોય. જે હંમેશા પ્રભુ સ્મરણમાં જ મગન રહેતો હોય હવે એને બિચારાને સ્વર્ગ કંઈ કામનું ખરું? બે દિવસ ત્યાં રહીને બિચારો કંટાળી જાય અને પાછો પૃથ્વીલોક આવી જાય...
જે લોકો દારૂ પીવે છે, જેમના એકથી વધારે સ્ત્રી સાથે સંબંધ છે અને જે જીવનના કહેવાય એ બધા મોજ શોખ અહીંયા જ પુરા કરે છે એ સ્વર્ગમાં જઈને શું કરશે? એને માટે તો અહીંયા જ સ્વર્ગ છે 😂
ટુંકમાં કોઈને ગમો નહીં તો કંઈ નહીં નડો નહીં અને મોજથી જીવો આપણી પૃથ્વી જ સ્વર્ગથીય સુંદર છે!
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏