નજર દોષને ચપટી વગાડતા જ દૂર કરે છે તંત્ર શાસ્ત્રના આ ટોટકા, અજમાવી જુઓ
This tip of the Tantra Shastra removes the guilt just by playing pinch
નજર લાગવાની વાત અનેકવાર સાંભળવા મળતી હોય છે. નજર લાગવાની વાતને કેટલાક લોકો માનતા હોય છે જ્યારે કેટલાક તેને નથી માનતાં. પરંતુ મોટાભાગે માતા પોતાના બાળકને જ્યારે પણ સરસ રીતે તૈયાર કરે છે ત્યારે તે તેના કાન પાછળ કે કપાળ પર કાળું ટપકું અચૂક કરે છે જેથી તેની રક્ષા નકારાત્મક નજર દોષથી થાય.
આ ઉપાય સિવાય અન્ય કેટલાક ઉપાયો પણ તંત્ર શાસ્ત્રમાં દર્શાવાયા છે જેને કરવાથી નજર દોષ દૂર થાય છે. કયા કયા છે આ ઉપાય જાણી લો આજે તમે પણ.
સૂર્યાસ્ત પછી રોટલી પર તેલ લગાવી અને જે વ્યક્તિને સમસ્યા હોય તેના પરથી 7 વાર ઉતારી અને તે રોટલી કાળા કૂતરાને ખવડાવી દેવી. આ ઉપાયથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે.
જો કોઈ બાળકને નજર લાગી હોય તો આખા લાલ મરચાં અને નમક સાથે લઈ અને એક કાગળ પર રાખી અને તેનું પડિકુંવાળી મરચાંને સળગાવી દેવા.
રોટલી પર ગોળ રાખી નજર લાગી હોય તે વ્યક્તિ પરથી 7 વાર ઉતારી અને કૂતરાને ખવડાવી દેવી.
હનુમાન મંદિરમાં દર્શન માટે જવું અને તેમના પગ પરથી સિંદૂર લઈ અને બાળકને તેનાથી તિલક કરી દેવું. તેનાથી બાળકની સમસ્યા દૂર થઈ જશે.