અદ્રશ્ય વીજપ્રવાહની જેમ વહે છે લાગણી.
ઉરના મનોભાવને નયનથકી કહે છે લાગણી.
એક પ્રકારનું જોડાણ છે પારસ્પરિક ઊભયનું,
બાકી ઘવાતાં કેટકેટલું અંતરે સહે છે લાગણી.
ગણતરીની દુનિયા અહીં થાય છે સાવ પૂરીને,
સમર્પણની બુનિયાદે ઉરમાં એ રહે છે લાગણી.
બને છે મન બેકાબૂને કૈંક હરાયાંની પ્રતીતિ હો,
ઈશ જેવો ઈશ પણ આખરે તો ગ્રહે છે લાગણી.
હોય છે ઉચિત એને ભાષા અશ્રુ તણી આખરે,
જુદાઈના વખતમાં કેટલી એ તરફડે છે લાગણી.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.