દિલ હોત જો પત્થર નું
પત્થર નું જીગર હોત તો સારું, આવું દર્દ તો ન થાત
મોમ જેવા દિલમાં, થોડો ગરમાવો પણ દઝાડે, સાચી છે આં વાત.
પરાયું અને પોતાનું દર્દ લઈ કોમળ દિલ વાળો થાય દુઃખી
જ્યારે પત્થર દિલ વાલા ને બધું એક સમાન; શું દુઃખી ને શું સુખી !!
હીરો કઠણ હોય એટલે કદાચ એ હોય છે કીમતી;
મોમ જેવા દિલવાળા ને બધાની ચિંતા, તૂટે દિલમાં ચિમટી.
ઓ માલિક મારા, જરા જરામાં મારે શા કાજ થવું જોઈએ દુઃખી;
નફ્ફટ લોકો ને જોઉ છું, આજ કાલ એ લોક રહે છે બહુ સુખી.
Armin Dutia Motashaw