વાત કરૂં વેદના તણી,
પોતાના નથી ભાળ્યા
પરબારા હાલી નીકળ્યા
પારકા માટે થયાં પાળીયા,
ગાયો ના ધણ બચાવવા દોડતા,
ધડ ધીંગાણે લડ્યા અને,
લીલા નારિયેળ વધેરાણા
પાળીયા થઈ પુંજાય ઈ,
વીર નરોના વિઠ્ઠલા...
રંગ છે શુરવીરોને પાળીયા થય ને પથરાણા,
માથું પડે ને ધડ લડે, કાળ ની સામે અથડાણા.
કર જોડી ને કહે *ઉસ્તાદ* નમન કરજો આવા વિરોને..