* આત્મા ને સવાલ * 21-8-2019
આત્માને સવાલ બે વાતોનો,
કોઇ પણ રીતે જલસો કરીએ.
સારા કર્મો કરીને મરીએ કે નરશા,
આત્મા સિવાય કોણ જાણે છે.
સ્વર્ગ નર્કની ચિંતા છોડો,
મહાલવુ જ છે તો રસ્તો કરીએ.
આત્મા ના સવાલો ને દબાવીને,
બહારથી તો શરીફ બની ફરીએ.
ભૂલ કોણે નથી કરી આ દુનિયામાં,
આત્માને મારી ને જીવ્યો આ દુનિયામાં.
ભાવનાઓમાં ગફલત થઇ ને લપસ્યો એ તો,
આત્મબળ થી આવો એને બેઠો કરીએ.
આત્મા ને પથ્થર કરીને વહોરી છે પીડા,
આત્માના સવાલો ના જવાબ મેળવી ચાલો ભુક્કો કરીએ.
આત્માને સવાલ ખૂબ મજાનો વિચાર આવ્યો,
સાંભળી અાત્માનો અવાજ જવાબ વહેતો કરીએ...
ભાવના ભટ્ટ અમદાવાદ...