જયારે કોઈ ખાસ ગમવા લાગે છે,
ત્યારે જ આ દિલ નમવા લાગે છે.
પ્રણય વિના નું ખાલી ખમ ખોળ્યું,
મળે એને પ્રાણ સમજવા લાગે છે.
જીવતા અધૂરા જો રહી ગયા ઓરતા,
મોત પછી પણ પાછા વળવા લાગે છે.
સદા સુખદ ની આશ નથી હોતી,
જે મળ્યું બેઉ સંગે ગળવા લાગે છે.
સાચ્ચા સંગાથી તો એજ જગતમાં,
બે પંડે એક મન જે ગણવા લાગે છે.
રૂપાળા દેહના તો લાખો દીવાના,
ખરી પ્રીત જ્યાં મન મળવા લાગે છે.
પ્રણય અમર છે એટલે જ "પ્રતીક"
મળદા પણ પ્રેમમાં જીવવા લાગે છે.