તપનજલન
ભાગ:૪
હરગોવિંદભાઈ નો ભાવ એ પછી સુલુ પ્રત્યે બદલાયો
હતો.બહેન પણ તેની કાળજી લેતા.એક એ હતી કે તેને
જયારે પણ વિચાર આવતો કે નાના પુત્ર ના મૃત્યુ પછી
બહેન સાઘ્વી જેવું જ જીવન જીવતા.એક દિવસ તેને
દર્દ ઉપાડ્યું બહેન જાતે તેને દવાખાને લઈ ગયા. જ્યારે તેણે બે જોડિયા બાળકો જન્મ્યા તો તે ખુશ
તો થઈ પણ દુખી પણ..પિતાનું નામ શું..? પૂછાશે
તો...! પણ એક દિવસ દવાખાને થી ઘરેજવાનું આવ્યું ને તેણે વર્ષ દ્વારા મુકાયેલી ફાઈલ જોઈ તો બાળકના
નામ કૃષ્ણ.દર્શી.જાડેજા ને દીકરી નું નામ કૃષ્ણા.દર્શી.
જાડેજા લખેલા હતા.તેઅવાક રહી ગઈ.
બહેને બધી વાત કરી કે તેઓ દર્શી ને મળવા ગયા ત્યારે તેની અંતિમ અવસ્થા હતી તેણે તારો ફોટોને શરમામુ મનેઆપ્યા . તે ઇચ્છતો હતો “કે
મહેલો બાંધવા તો છે સરળ,
દિલોમાં પડેલ તિરાડોનું શું?”
મા તમે આ દિલોની પડેલી તિરાડો ને કેમ પૂરશો.?
બેટા ફોટો જોતા જ હુ સમજી ગઈ હતી કે સંજોગોએ
તને મારા દ્વારે કેમ મોકલી છે. તું ન જાણે તેમ મહારાજ
પાસે તને આ ઘરમાં હરતી ફરતી મે એને બતાવીને એનો આત્મા ઠાર્યો. તારી ગુનેગાર છું કે તને એના દર્શન ન કરાવી શકી. પણ પુત્ર પુત્રી ને એના પિતાનું
નામ આપી આ તિરાડો પૂરવાનું કાર્ય મે કર્યું છે. સુલુ
વિચારતી રહી...શું આ મહેલો માં તે સુખી છે???કે તેના હૈયા ની તિરાડો માંથી દરદ ની ચીસો કોઈ સાંભળી સકશે..? બન્ને બાળકોની કિકિયારીઓ થી સુજાણ ની
તિરાડો માં હવે રૂઝ આવવા મંડી હતી.હરગોવિંદભાઈ
પુત્ર નો કારમો ઘા ન સહન થતા જલદી ભગવાન ની
પાસે પહોંચી ગયા હતા ને બહેન બધો કારભાર સુલેખા ને સોંપી બાળકો માં ખોવાય ગયા હતા..
આમ મહેલ સાથે તિરાડો પણ ત્યાંજ હતી.તે ભરાઈ સકે તેમ નહોતી.
જયશ્રી.પટેલ
૭/૧૨/૧૮
યુગવંદના માં ત્રીજુ ઈનામ મેળવનાર વાર્તા તપનજલન આપ સૌને ગમી હોય તો જરૂર કોમેન્ટ અને લાઈકસ આપશો તો ફરી ફરી લખવાનો ઉત્સાહ વધશે.