......#......કર્ણસંગીની......#......
"સૂતો વા સૂતપુત્રો વા, યો વા કો વા ભવામ્યહમ્,
દૈવાયત્તં કુલે જન્મ,મદાયત્તં તુ પોરુષમ્"...
સૂર્યપૂત્ર કર્ણ,
શું વાત કરું મહાભારત ગ્રંથના આ પાત્રની...?
પરમ પુરુષાર્થી,મહા દાનવીર,પરમ મિત્ર,મહાપરાક્રમી યોદ્ધા,પરમ શિષ્ય,અદ્વિતીય સામર્થ્ય.
કથા છે"કર્ણ અને કર્ણસંગીની"ની પ્રેમકથાની...
આમ તો મહાભારત ગ્રંથમાં આ જોડીનો ઉલ્લેખ ના બરોબર જ છે.
વાત છે હસ્તિનાપુર ના વિભાજન સમયની.
જ્યારે કૌરવો અને પાંડવો વિભાજીત થયા ત્યારે પાંડવોના ભાગમાં ઇન્દ્રપ્રસ્ત આવ્યું.સમ્રાટ ધૃતરાષ્ટ્રે પ્રજાજનોને છૂટ આપી કે જેને પાંડવો સાથે જવું હોય એ જઇ શકે છે. આમ હસ્તિનાપુરની પ્રજા એક એક કરીને ઇન્દ્રપ્રસ્ત જવા રવાના થઇ...દુર્યોધનને થયું કે જો આ પરિસ્થિતિ રહી તો હસ્તિનાપુર ખાલી થઇ જશે.આથી એણે દ્વારપાળોને મુખ્યદ્વાર બંધ કરી દેવાનો આદેશ આપ્યો...હવે આ સમય દરમિયાન થયું એવું કે,એક કન્યાનો પરિવાર દુર્ગની બહાર જતો રહ્યો અને કન્યા એકલી દુર્ગની ભીતર રહી ગઇ.એણે દ્વાર ખોલવા વિનંતી કરી,પરંતું એની વાત કોઇએ ના સાંભળતા એણે દુર્યોધન સામે વિદ્રોહ કર્યો.એ વિદ્રોહ ના દંડ સ્વરુપે કૌરવો એ કન્યાને દંડ આપવા જઇ રહ્યા હતા,ત્યારે રાજમાતા કુંતી આવી જાય છે,અને એ કન્યાને શરણમાં લે છે.અને એને પરિવારથી કોઇ અલગ નહીં કરી શકે એવું વચન આપે છે.અને રાજમહેલમાં પોતાની સાથે લઇ જાય છે,બીજા દિવસના પ્રથમ પ્રહરમાં રાજમાતા કુંતી,અંગરાજ કર્ણને બોલાવીને એ કન્યાને સુરક્ષિત ઇન્દ્રપ્રસ્ત મૂકી આવવાનો આદેશ આપે છે.
કર્ણ અને એ કન્યા ઇન્દ્રપ્રસ્ત જવા રવાના થાય છે.આ પ્રવાસ દરમિયાન બંન્ને એકબીજાને સમજવા લાગે છે,અને એ કન્યાને કર્ણ તરફ લાગણીઓ જાગે છે,પરંતુ કહી નથી શકતી.જ્યારે બંન્ને ઇન્દ્રપ્રસ્ત પહોંચે છે ત્યારે કર્ણના પરત ફરતા એ કન્યાને ખુબ દુખ થાય છે,આ ઘટના વાસુદેવ શ્રી કૃષ્ણ જોઇ લે છે,અને એ કન્યાને કર્ણને જવા ન દેવાની સલાહ આપી મનની વાત કહી દેવાનું કહે છે.કન્યા એકદમ ઉત્સાહમાં આવી જઇ રહેલા કર્ણના આડે ઊભી રહી જાય છે,અને પોતાને જીવન સંગીની બનાવવાનો પ્રસ્તાવ મૂકે છે.કર્ણ આ પ્રસ્તાવનો સ્વીકાર કરે છે.આમ કર્ણને સંગીની મળે છે.
આ કન્યા એટલે કર્ણ સંગીની "ઋશાલી".
ઋશાલી એ સુત સત્યસેનની બહેન,જે દુર્યોધનનો સારથી હતો.જ્યારે કર્ણ,રાજ્યનો ત્યાગ કરી સામાન્ય સૂતપુત્રનું જીવન જીવતો હોય છે,ત્યારે આ બંન્ને ગૃહસ્થ ધર્મથી બંધાય છે. પણ વિધીની વક્રતા જુઓ મિત્રો કે,થોડા જ સમય બાદ દુર્યોધનને જરાસંઘ બંદી બનાવે છે,અને એ કર્ણને મદદ માટે બોલાવે છે.અહિંયા સંદેશ મળતાં જ કર્ણ હથિયાર ધારણ કરી સજ્જ થઇ જાય છે,ઋશાલી કર્ણને જતાં રોકે છે,અને કહે છે કે,હું તમારા કર્તવ્ય પાલન આડે નથી આવતી,પરંતુ આ રાજનીતિએ આપને હથિયાર ઉપડાવ્યું છે,કાલે ફરી મુકુટ ધારણ કરાવશે,અને આપની સાથે મારે આ ધર્મની ઝૂંપડી મૂકીને અધર્મ ભર્યા રાજમહેલમાં વાસ કરવો પડશે.જે મારા માટે નર્કવાસ કરતાંય અનેકગણું પીડાકારક હશે.એથીયે વિશેષ "હું અત્યારે ગર્ભવતી છું,મારે તો બસ એક આપનો જ આધાર છે.યુવરાજની રક્ષા માટે તો આખો કુરુવંશ છે."આમ કહી કર્ણને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે.કર્ણ નથી રોકાતો.ઉપકારના ભાર નીચે દબાયેલો પોતાની સગર્ભા પત્નીને મૂકી મિત્રની સહાયતા કરવા જતો રહે છે.
બનાવ એવો બને છે કે,કર્ણ જરાસંઘને હરાવી તો દે છે પણ દુર્યોધન સાથે જરાસંઘની સંધી કરાવવા માટે તેને ફરીથી રાજમુકુટ ધારણ કરવું પડે છે.
આમ શરુ થાય છે,કર્ણ-ઋશાલીનો વિયોગકાળ.ત્યાર બાદ આજીવન ઋશાલી કર્ણના પાલક માતા-પિતા,રાધા અને અધિરથ સાથે રહે છે.
યુદ્ધમાં જ્યારે કર્ણનો વધ થાય છે,ત્યારે કર્ણની ચિતામાં બેસી સતી થઇ જાય છે...
આમ ખરા અર્થમાં કર્ણસંગીની કર્ણની સંગીની બનીને આ જગતને મૂકી હંમેશા માટે કર્ણની થઇ ગઇ...
શુભસ્તુ...
જય ભોળાનાથ...
હર હર મહાદેવ.....હર....