હૃદયની ભાવનાઓ બનીને વહે છે આંસુ.
મૌન છે તોય કેટકેટલું રખેને કહે છે આંસુ.
પરાકાષ્ઠા વેદનાની આંસુ થઈ પ્રગટતીને,
અભિવ્યક્તિની ચરમ સીમા રહે છે આંસુ.
વાત ઉરની નયન કહીને જંપનારાં આખરે,
ખારાશ સાબિતી કેટલું વળી સહે છે આંસુ.
છે મોતી નયનનાં એ અદભુત તાકાત એની,
ઇશ જેવા ઇશનેય પરવશ એ કરે છે આંસુ.
પરમાણુ કરતાંય અધિક શક્તિમાન છે એ,
ક્યારેક હર્ષના અતિરેકે પણ દીસે છે આંસુ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '