પ્રસ્તાવના of my book "જીવન...મારી દ્રષ્ટિએ"???
જીવન... મારી દ્રષ્ટિએ
આ બુક મારી કવિતાઓ નો સંગ્રહ છે .બધી જ કવિતાઓ માં મેં આપણું એટલે કે લોકો નું અને આપણા જીવન નું (આજના જીવન નું ) વર્ણન કર્યું છે . જે મેં મારી 20 વર્ષ ની સફર દરમિયાન જોયું , જાણ્યું અને અનુભવ્યું છે.
હું એટલું ચોક્કસ પણે કહી શકુ કે આ પુસ્તક વાંચનાર નો સમય વેડફાસે તો નહીંજ . દરેક માટે અલગ અલગ પણ કોઈ ને કોઈ કવિતા તો દરેક વાચક ના હૃદય ને સ્પર્શશે જ, આવી મને દ્રઢ પણે ખાતરી છે.
આ કવિતાઓ માં મારા વડીલો અને અમુક ખાસ લોકો ના સંસ્કારો ની ઊંડી છાપ છે . એટલે હું બાહેંધરી આપું છું કે અબાલ વૃદ્વ કોઈ પણ ઉમર ની વ્યક્તિ આ પુસ્તક મુક્ત મને વાંચી શકે છે .
આ પુસ્તક ની કવિતાઓ મહદઅંશે ગુજરાતી માંજ લખાયેલી છે. અને આવી શ્રેષ્ઠ ભાષા ના ઉચ્ચત્તર સ્તરે પહોંચવું એક એન્જીન્યરિંગ સ્ટુડન્ટ માટે અઘરું હોય તેથી વાચક ને વ્યાકરણ ની ભૂલો મને બાળક સમજી ક્ષમા કરવા વિનંતી છે.
મારી કલમ ની ધાર ક્યાંક વધુ તીક્ષ્ણ થઇ હોય અને કોઈ ને તેનાથી દુઃખ પહોંચે તો તેના માટે પણ ક્ષમા માંગુ છું.
આ પુસ્તક તમે વાંચતા હશો ત્યારે આમાં કેટલી કવિતા હશે તેની મને ખબર નથી . પરંતુ આ કાવ્ય સંગ્રહ મારા જીવન પર્યતઃ ચાલવાનો એવું કહી શકાય ...!!!તો દરેક વાચક મિત્ર ને દિલ થી આભાર .આ પુસ્તક હું મારા શિક્ષકો અને મારા માતા પિતા ને સમર્પિત કરું છું .
- યુવરાજસિંહ . ડિ .જાડેજા