#kavyotsav -2
?ઘર?
ભુલકાઓ ને હેત-પ્રેમ,
વડીલોને જયાં માન છે.
સુખ-દુઃખમાં સૌ સાથે,
સૌના મત સમાન છે.
સાથેબેસી જમે સૌ પછી,
ચર્ચા-વિચારને સ્થાન છે.
ધર્મકાર્ય, સંસ્કારનું સિંચન,
વડીલોની છત્ર-છાયા છે.
વિશ્વાસ નાં દોરે બંધાયા,
એકદિલ સૌ એકજાન છે.
ધરતી પર ક્યાં મળે સુખ ,
એ ઘર સ્વર્ગ સામાન છે.
જાગૃતિ રાઠોડ.