#કાવ્યોત્સવ -૨
અરમાન
અંત સમયમાં ઊરના અરમાન અધુરા રહી ગયા.
મળવું હતું પોતાના સ્વજનો સાથે એ અરમાન રહી ગયા.
બાકી રહી ગઈ તમન્ના એ શિખ આપી ગયા.
જીવનમાં જે આજે એ જ સત્ય એમ કહી ગયા.
હસતાં કહેતા કેમ હું નથી કોઈનો બધાં પારકા થઈ ગયા.
પૈસા ખાતર કેમ છો પુછનાર અંત કાળે પડખું ફેરવી ગયા.
કહે નર આ બધા અરમાનો આત્મા જોડે ગયા.
દેહને સહું માટીમાં ભેળવી વાત સગળી ભુલી ગયા.
ન જાણે કેટલાય અરમાન એમના દફન થઈ ગયા.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા, કરછ.