#કાવ્યોત્સવ -૨
સાગર
સાગર તમારી કૃપા અપરંપાર, તુંજ હૈયામાં નારાયણનો પ્રેમ અપાર.
તારા થકી શિવ થયા નિલકંઠ ધારી, અમૃત લઈ મોહની બન્યા મોરારી.
સાગર આપે આપ્યાં નારાયણ ને નારી, માતા જગતમાં કહે લક્ષ્મીજી કૃપા સારી.
ઈન્દ્ર ને ઐરાવત આપી કૃપા વરસાવી,સાગર તમે તો કેટલીય નાવ બચાવી.
સાગર તારા ઉંદર માં સર્જન થઈ સૃષ્ટિ સારી, વાદળ સ્વરૂપે તમે વરસવો વારિ.
કરે નર વંદન તુંજ ચરણોમાં વારી વારી.સદાય સહાય કરજો જલધારી.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ